નીચેની માહિતીને ધ્યાનથી વાંચો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો.
સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિકોની ભરતી માટેના માપદંડો નીચે મુજબ છે. ઉમેદવારો -
(1) ગણિત/ભૌતિકશાસ્ત્ર/રસાયણશાસ્ત્રમાં ઓછામાં ઓછા 65% ગુણ સાથે અનુસ્નાતક હોવું આવશ્યક છે.
(2) વયમર્યાદા 01-01-2018ના રોજ 26 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
(3) 50% થી વધુ ગુણ સાથે પોસ્ટ-ડોક્ટરેટની પદવી હોવી આવશ્યક છે.
(4) ઉપરોક્ત ક્ષેત્રોમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
(5) એક વર્ષ માટે પ્રોબેશન(પરિવીક્ષા) માટે તૈયાર રહેવું જોઈએ.
જો ઉમેદવાર (3) સિવાયના ઉપરોક્ત તમામ માપદંડોને સંતોષે છે, તો તેને/તેણીને યોજના વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરી શકાય છે.
જો ઉમેદવાર (3) અને (4) સિવાયના ઉપરોક્ત તમામ માપદંડોને પૂર્ણ કરે તો તેને કનિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરી શકાય છે.
જો ઉમેદવાર સંબંધિત ક્ષેત્રોમાં 7 વર્ષના અનુભવ સાથે ઉપરોક્ત તમામ માપદંડોને પૂર્ણ કરે છે, તો તેને / તેણીને વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરી શકાય છે. જો ઉમેદવાર સંબંધિત ક્ષેત્રમાં 12 વર્ષના અનુભવ સાથે ઉપરોક્ત તમામ માપદંડોને પૂર્ણ કરે છે, તો તેને મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરી શકાય છે.
1/1/18ના રોજ સુધીર 28 વર્ષનો છે અને તેણે ગણિતમાં પોસ્ટ ડોક્ટરલ અને અનુસ્નાતક ની પદ્દવી મેળવી છે, તેણે શૈક્ષણિક શિક્ષણમાં પણ 75 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. તેને કોઈ અનુભવ નથી પરંતુ તે એક વર્ષની સેવા માટે પ્રોબેશન(પરિવીક્ષા) પર રહેવા માટે તૈયાર છે. તેને કયું પદ સોંપી શકાય?