દિશાનિર્દેશ: નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે નીચેની માહિતીનો અભ્યાસ કરો:
જો કોઈ વ્યક્તિ ભારતીય પાસપોર્ટ માટે અરજી કરવા માંગે છે તો તેને અમુક દસ્તાવેજોની જરૂર છે,
જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે:
1) જન્મ પ્રમાણપત્ર
2) આધાર કાર્ડ
3) 10 વર્ષથી વધુ સમયનું કાયમી સરનામાનો પુરાવો.
4) અંતિમ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
જો ઉપરની કેટલીક શરત પૂરી ન થાય તો,
1a) જો કોઈ વ્યક્તિ પાસે જન્મ પ્રમાણપત્ર નથી, તો તેણે તેનું 10મા ધોરણનું પ્રમાણપત્ર જોડવું આવશ્યક છે.
2a) જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી, તો તેના પાસપોર્ટ માટે પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
3a) જો કોઈ વ્યક્તિ પાસે કાયમી સરનામાનો પુરાવો ન હોય તો તેના માતાપિતાનો પાસપોર્ટ જોડવો જોઈએ અને પછી તેના પાસપોર્ટની પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ પાસપોર્ટ જારી કરવામાં 2 મહિનાનો વધારાનો સમય લાગશે.
4) જો 1, 2, અને 3 પૂર્ણ ન થાય અને તે 1a), 2a), અને 3a) બતાવવામાં પણ નિષ્ફળ જાય તો) તેની પાસપોર્ટ પ્રક્રિયાને નકારી કાઢવામાં આવશે.
સુમિત જેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો અને તે 3 વર્ષ ઈંગ્લેન્ડમાં રહ્યો હતો. તે ભારત આવ્યો અને ભારતમાં અભ્યાસ પૂરો કર્યો. તેણે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી, જેથી તે MBA કરવા માટે વિદેશ જઈ શકે. તેણે તેની પાસપોર્ટ અરજી સાથે તેના માતા-પિતાનો ભારતીય પાસપોર્ટ જોડ્યો હતો કારણ કે તેના પિતા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હોવાથી તેઓ 4 વર્ષથી વધુ સમયથી શહેરમાં રહેતા નથી. અને તેના જન્મ પ્રમાણપત્ર માટે તેણે તેનું 10નું ગુણપત્રક જોડ્યુ . તેની પાસે આધાર કાર્ડ પણ છે. તેણે અરજીપત્રક સાથે તેની સ્નાતકની પદવી જોડી હતી.