નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો.
"XYZ" કંપનીમાં અમુક પદો માટેની લાયકાત અને શરતો નીચે મુજબ છે.
ઉમેદવારમાટે આવશ્યકતા છે:
a) ઓછામાં ઓછા 70% ગુણ સાથે એન્જિનિયરિંગ સ્નાતક હોવું.
b) 01/04/2018 ના રોજ 21 વર્ષથી ઓછી અને 26 વર્ષથી વધુની ઉંમર ન હોવી જોઈએ.
c) ઓછામાં ઓછા 60% ગુણ સાથે લેખિત પરીક્ષા પાસ કરી હોય.
d) રૂ.2.5 લાખ ની જમાનત ચૂકવવા તૈયાર હોવા જોઈએ જે પ્રોબેશન(અજમાયશસમયગાળો) અને તાલીમ પૂર્ણ થવા પર પરત કરવામાં આવશે.
જો ઉમેદવાર (a)-(d) ને સંતુષ્ટ કરે તો તેને એન્જિનિયર તરીકે સ્વીકારવામાં આવશે.
જો કે, જો ઉમેદવાર ઉપરોક્ત તમામ બાબતોને સંતોષે છે, સિવાય કે:
(i) (a) માટે, અંતિમ સેમેસ્ટર પરીક્ષા આપી છે; પરિણામ જાહેર કરવાનું બાકી છે; સાતમા સેમેસ્ટર સુધી 75% સરેરાશ ગુણ ધરાવે છે; તો તેને પરિયોજના-એન્જિનિયર તરીકે ઓળખવામાં આવશે.
(ii) (a) માટે, 75% ગુણ સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે, તેને સહાયક એન્જિનિયર તરીકે ઓળખવામાં આવશે.
(iii) (d) માટે, રૂ. 1.5 લાખ જમાનત તરીકે ચૂકવવા તૈયાર છે. તેને તાલીમાર્થી એન્જિનિયર તરીકે ઓળખવામાં આવશે.
(iv) (b) માટે, ભલે 1/4/18 ના રોજ ઉંમર 26 વર્ષથી વધુ હોય, પરંતુ 3 વર્ષનો અનુભવ હોય, તેને વરિષ્ઠ-એન્જિનિયર તરીકે ઓળખવામાં આવશે.
પ્રણિતાએ 71% ગુણ સાથે ઈલેક્ટ્રોનિક્સમાં સ્નાતક છે. તેણીએ લેખિત પરીક્ષાઓ પણ 75% ગુણ સાથે પાસ કરી છે. તે મે 2018 સુધીમાં 22 વર્ષની છે. તે રૂ. 1.5 લાખ.જમાનત તરીકે ચૂકવવા તૈયાર છે. તો તેણીને કયા પદ માટે સંદર્ભિત કરવામાં આવશે?